ભરૂચ નજીક GNFC થી તુલસીધામ તરફ જતાં માર્ગ પર કાર અકસ્માતનો ભોગ બની હતી.કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટ અને જરૂરી ટ્રાફિક સાઈનબોર્ડના અભાવને કારણે વારંવાર અકસ્માતો બનતા રહે છે. અંધારામાં દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતા વધી જાય છે.
લોકો તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મુકવાની માંગ કરી રહ્યા છે
Advertisement
