આમોદ તાલુકાના કાકરિયા ગામે ગઇ રાતે અપરાધીઓએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નિષ્ઠુર વિનાશ કરતાં સમગ્ર વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાઈ છે.મહેનત, દેવું અને પરસેવાના પલાળે ઊભા કરાયેલા પાકને કોઈ અજાણી દુશ્મની હેઠળ પૂર્ણ રીતે કાપી નાખતા ખેડૂતો સ્થળ પર જ ફફડી પડ્યા હતા. ખેતરમાં બેસીને રડતા ખેડૂતોના દ્રશ્યો જોઈ ગામલોકો પણ આઘાતમાં મુકાઈ ગયા.પીડિત મંગળભાઈ વસાવા અને કૈલાશબેન વસાવાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે,
“સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈએ પોતાના માણસોથી પાકનો નાશ કરાવ્યો છે.”ખેતી પરિવાર માટે ઘરવખરી સમાન ફળતું કપાસ એક જ ઝાટકે નેસ્તનાબૂદ થઈ જતા તેઓ આર્થિક રીતે પાયમાલ બન્યા છે.આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. ગામલોકો કડક માંગ કરી રહ્યા છે કે—
“દોષી જે હોય તેની નિષ્પક્ષ તપાસ કરીને કાયદા અનુસાર કડકમાં કડક સજા થવી જરૂરી છે.”
