Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહોત્સવ, મહાપ્રસાદ અને લોક ડાયરાનું આયોજન

Share

ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે આવતી 2 એપ્રિલ 2026, ગુરુવારે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર ખાતે સવારના 7 વાગ્યે આરતી અને ત્યારબાદ સવારે 9 વાગ્યે સુંદરકાંડ પાઠ યોજાશે, જેમાં વક્તા તરીકે જયેશભાઈ પંચોલી દ્વારા પાઠ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે આરતી બાદ 7:30 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

સાંજે ભક્તિ અને મનોરંજનનો સંગમરૂપ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં જાણીતી કલાકાર શ્વેતાબેન સોલંકી તેમજ આર.જે. હર્ષ (એક્ટર, કલર્સ રસોઈ શો) ઉપસ્થિત રહી કાર્યક્રમને રોમાંચક બનાવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય રમેશભાઈ વેનીલાલ મોદી તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ભીડ ભંજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચ પાલિકાના વોર્ડ નં. 10માં પરવાનગી વિના જાહેર સભા કરનાર કોંગ્રેસના ઉમેદવારો સામે ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ શહેરનાં એકતા નગરમાં શોર્ટ શર્કિટથી આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.

ProudOfGujarat

અનિલ કપૂરને રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર તરફથી પ્રશંસા મળી, તેને બિગ બોસ OTT 3 નો ‘સૌથી નાની અને યોગ્ય હોસ્ટ’ કહે છે!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!