ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે આવતી 2 એપ્રિલ 2026, ગુરુવારે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ખાતે સવારના 7 વાગ્યે આરતી અને ત્યારબાદ સવારે 9 વાગ્યે સુંદરકાંડ પાઠ યોજાશે, જેમાં વક્તા તરીકે જયેશભાઈ પંચોલી દ્વારા પાઠ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે આરતી બાદ 7:30 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
સાંજે ભક્તિ અને મનોરંજનનો સંગમરૂપ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં જાણીતી કલાકાર શ્વેતાબેન સોલંકી તેમજ આર.જે. હર્ષ (એક્ટર, કલર્સ રસોઈ શો) ઉપસ્થિત રહી કાર્યક્રમને રોમાંચક બનાવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય રમેશભાઈ વેનીલાલ મોદી તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ભીડ ભંજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
