ભરૂચ.
ભરૃચ તાલુકામાં આવેલાં નવા શુક્લતીર્થ ગામે નિશાળ ફળિયામાં રહેતી મિનાક્ષીના લગ્ન 2024માં ઝાડેશ્વરના મિતેશ પટેલ સાથે થયાં હતાં. જોકે, બાદમાં તેમને અણબનાવ થતાં તેમનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. તેમના ગામના હિરેન પ્રવિણ રાઠોડ સાથે તેને છ વર્ષથી પ્રેમ સંબંધ હતો. દરમિયાનમાં ગત શનિવારે મિનાક્ષી તેના ઘર હાજર હતી તે વેળાં હિરેન તેની ભાભી જ્યોતિ રાઠોડ સાથે તેમના ઘરે આવ્યો હતો. તેણે મિનાક્ષીને કેવા લાગ્યો હતો કે, તેની સગાઇ તવરા ખાતેરહેતી દિપ્તીબેન સાથે થઇ ગયેલ છે. ત્યારે તેમના પ્રેમસંબંધ અંગે મિનાક્ષીએ દિપ્તીને કેમ ફોન કરીને જાણ કરી કહીં તેની સાથે તકરાર કરી હતી. જેથી મિનાક્ષીએ તેમને જણાવ્યું હતું કે, તેણે દિપ્તિને તેમના બન્ને વચ્ચેના પ્રેમ સંબંધ અંગેની સમજાવટ કર હતી. જોકે, હિરેન તેમજ તેની ભાભી જ્યોતીએક સંપ થઇ તેને માર માર્યો હતો. હિરેન તેમજ તેમની ભાભી જ્યોતિબેને તેમને ધાકધમકી આપી હતી કે, હવે જો દિપ્તીને ફોન કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે નબીપૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
