Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

કેમીકલમાં લાગેલ આગ જોકે ગણતરીના સમયમાં ફાયર ફાયટરો એ આગને કાબુમાં લીધી.

Share

અંકલેશ્વર પ્રતિક પાયાઘોડે

રાષ્ટ્રીય ધોરી માર્ગ ખરોડ પાટીયા પાસે એકસેલ હોટલ આવેલ છે. ત્યાં કમ્પાઉંડ પાસે એક નાળુ આવેલ છે જેમા અવાર-નવાર આજુ-બાજુ કંપનીના સતાધિશો પ્રદુષિત કેમિકલ નો નિકાલ કરે છે આવાજ પ્રદુષિત કેમિકલમાં આગ લાગતા નાસ-ભાગ અને અફરાતફરી નું વાતાવરણ ફેલાઈ ગયું હતું જો કે કેમિકલ સળગતુ – સળગતુ નાળાના એક છેડાથી બીજા છેડે પ્રસાર થયું હતું સમયસર ફાયર ફાયટરો આવી જતા આગ પર કાબુ મેળવુ હતું. કુખ્યાત અંસાર માર્કેટ તેમજ આમલાખાડી આવા નાના-મોટા નાળાઓમાં અવાર-નવાર કહેવાતા માથાભારે કંપનીના સંચાલકો ધ્વારા જન આરોગ્યના ભોગે પ્રદુષિત કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. તેમ છતા જી.પી.સી.બી અંકલેશ્વર ના ઉગતા તંત્ર ધ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવતી ન હોવાની લોકચર્ચા ચાલે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સિતપોણ ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસને રોકવામાં આવી હતી-અનિયમિત આવતી બસ ના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા….

ProudOfGujarat

ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ‘પૂર્ણા કિશોરી પોષણ ઉડાન’ અને ‘પતંગ મહોત્સવ’ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!