Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-ખાનગી શૈક્ષણિક સંસ્થાની શિક્ષિકાએ કરી આત્મહત્યા-આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ….

Share

જામનગરમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતિએ ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડાતા ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ થતા સીટી સી પોલીસ હોસ્પીટલ દોડી ગઇ હતી.
જામનગરમાં ઇન્દીરા માર્ગ નજીક રોઝી પેટ્રોલ પમ્પ પાસે રહેતી અને હરીયા સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સીમાબેન ભુપેન્દ્રસિંહ શેખાવત (ઉ.વ.36) નામની યુવતિએ સોમવારે બપોરે ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની હોસ્પીટલ ચોકીએ જાણ કરતા સીટી સીના એએસઆઇ કે.કે.સેંગર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ મૃતકના પતિ વિદેશમાં શિક્ષક તરીકે કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે. ભોગ બનનારના આ આત્મઘાતી પગલાથી તેના બારેક વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવથી શહેરમાં ચકચાર મચી છે…સૌજન્ય-DB

Advertisement

Share

Related posts

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, મધદરિયે 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

ProudOfGujarat

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પી.એમ મોદી પર વિવાદિત નિવેદન કરતા વડોદરા ભાજપ દ્વારા આવેદનપત્ર આપી પૂતળા દહન કરાયું.

ProudOfGujarat

PM મોદીનો 2024 ની ચૂંટણી માટેનો માસ્ટર સ્ટ્રોક, 10 લાખ નોકરીની જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!