Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-ખાનગી શૈક્ષણિક સંસ્થાની શિક્ષિકાએ કરી આત્મહત્યા-આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ….

Share

જામનગરમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતિએ ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડાતા ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ થતા સીટી સી પોલીસ હોસ્પીટલ દોડી ગઇ હતી.
જામનગરમાં ઇન્દીરા માર્ગ નજીક રોઝી પેટ્રોલ પમ્પ પાસે રહેતી અને હરીયા સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સીમાબેન ભુપેન્દ્રસિંહ શેખાવત (ઉ.વ.36) નામની યુવતિએ સોમવારે બપોરે ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની હોસ્પીટલ ચોકીએ જાણ કરતા સીટી સીના એએસઆઇ કે.કે.સેંગર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ મૃતકના પતિ વિદેશમાં શિક્ષક તરીકે કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે. ભોગ બનનારના આ આત્મઘાતી પગલાથી તેના બારેક વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવથી શહેરમાં ચકચાર મચી છે…સૌજન્ય-DB

Advertisement

Share

Related posts

વિશ્વ શાંતિ મહાકાળી મંદિર, ઓસારા 3 માર્ચે ચંદ્રગ્રહણને કારણે બંધ રહેશે

ProudOfGujarat

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!