Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-ખાનગી શૈક્ષણિક સંસ્થાની શિક્ષિકાએ કરી આત્મહત્યા-આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ….

Share

જામનગરમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતિએ ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડાતા ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ થતા સીટી સી પોલીસ હોસ્પીટલ દોડી ગઇ હતી.
જામનગરમાં ઇન્દીરા માર્ગ નજીક રોઝી પેટ્રોલ પમ્પ પાસે રહેતી અને હરીયા સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સીમાબેન ભુપેન્દ્રસિંહ શેખાવત (ઉ.વ.36) નામની યુવતિએ સોમવારે બપોરે ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની હોસ્પીટલ ચોકીએ જાણ કરતા સીટી સીના એએસઆઇ કે.કે.સેંગર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ મૃતકના પતિ વિદેશમાં શિક્ષક તરીકે કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે. ભોગ બનનારના આ આત્મઘાતી પગલાથી તેના બારેક વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવથી શહેરમાં ચકચાર મચી છે…સૌજન્ય-DB

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલ્ટી મારતા 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, કંપની પરથી રૂમ પર જતા કામદારોને નડ્યો અકસ્માત

ProudOfGujarat

કરજણ નગરમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થતા ફાયર કર્મીઓએ વૃક્ષો હટાવવાની કામગીરી હાથધરી

ProudOfGujarat

રાજકીય વિવાદ : વડોદરામાં કેજરીવાલનાં કાર્યક્રમ સ્થળે બુલડોઝર પહોંચ્યા, આપ ના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!