Proud of Gujarat
FeaturedGujarat

કાલોલ પંથકમાં બેફામ રેતખનનથી સ્થાનિકો પરેશાન.તંત્ર કાર્યવાહી કરવા નિષ્ફળ?

Share

પંચમહાલ રાજુ સોલંકી

કાલોલ તાલુકાના મેંદાપુર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં આવતા ગામ અને કરાડ નદીમાં થી અને હાલોલ મસવાડ સુધી વિસ્તરેલા આ પંથકમાં જેશીબી મશીન અને ટ્રેકટરો દ્વારા સ્થાનિક આગેવાનો અને માફીયાઓ દ્વારા દરરોજ સવારથી મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે ખનીજનુ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે અને આ માટી હાલોલ જીઆઇડીસીમા નવી બનતી કંપનીઓમા ઠાલવવામા આવતી હોવાની વિગતો સાંપડી છે.ગામના કેટલાક લોકો અને સ્થાનિક ખનીજ માફિયાઓ આ અંતરીયાળ વિસ્તારનો લાભ લઈને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે.નદીમાં થી રેતી અને માટીનુ આડેધડ ખનન થતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.દરરોજ લગભગ ૧૦ થી ૧૫ જેટલા ટ્રેકટર દ્વારા રેતી કાઢવામાં આવે છે કેટલાક લોકો જે આ રેતીનો વેપાર કરે છે.તેઓના ધર પાસે પણ રેતીના મોટા ઢગલા જોવા મળે છે.આ વિસ્તારમા હજુ સુધી વહીવટી તંત્ર કે કોઈ પણ સ્થાનિક કે જીલ્લાના અધિકારીઓ ફરકયા નથી અને તેથી ખનીજ માફિયાઓ બેફામ બની ને રેતી અને માટીનુ ખનન કરતા જોવા મળે છે.સ્થાનિક ખનીજ વિભાગ હાલમા જ અત્યાધુનિક સાધનો અને ડ્રોન કેમેરાની મદદથી ખનીજ ચોરી અટકાવવા સુસજ્જ બન્યું છે.ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની પણ માંગ ઉઠી છે કે તાકીદે આ ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરતા તત્વો ઉપર તંત્ર દ્વારા લગામ કસવામા આવે અને પર્યાવરણને ગંભીર નુકસાન કરતી આ પ્રવૃત્તિ અટકાવવામા આવે.

Advertisement


Share

Related posts

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું

ProudOfGujarat

નાંદોદ તાલુકાના છટવાડા ગામે નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમનું વિતરણ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!