Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ પંથકમાં અચાનક વ્યાજે નાણાં આપનારાઓની દુનિયામાં ગભરાહટ ફેલાય ગયો.જાણો કેમ ??

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં મોંઘવારી અને બેરોજગારીના પગલે લોકો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે.ત્યારે તગડા વ્યાજના દર સાથે નાણાં ધીરનારાઓને ઘી-કેળા થઈ ગયા છે .વ્યાજની આવક મોટી મળશે તેવી આશા અને અપેક્ષામાં વ્યાજે આપનારા સાહુકારો ધિરાણ લેનાર ગરીબની નાણાંકીય સ્થિતિ અને નાણાં પરત કરવા અંગેની પરિસ્થિતિ સમજ્યા વગર લાખો રૂપિયાનું ધિરાણ વગર વિચારે કરી દે છે. તેનો કેવો કરુણ અંજામ આવે છે તેનું એક ઉદાહરણ જોતા એકમાત્ર ફેરિયા તરીકે કામ કરતા એવા મોટાડભોયા વાળ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ પાલેજવાલા ઉમર વર્ષ ૫૭ને એક ધિરાણ કરનાર વ્યક્તિએ કશુ પણ વિચાર કર્યા વિના લખો રૂપિયાનું ધિરાણ કર્યું હતું.ત્યાર બાદ નાણાં પરત આપવાની મુદત આવતા નાણાં ધીરનારે પઠાણી અને સખત ઉઘરાણી કરતા ઉઘરાણીની ભીસના પગલે ઉઘરાણીના ભયના પગલે ઈસ્માઈલ પાલેજવાલેએ ઝેર ગટગટાવી લીધું હતું.જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું .આ બનાવ અંગે ભરૂચ બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.આમ વ્યાજ ખોરોના ત્રાસ થી કંટાળી આપઘાતનો પ્રયાસ કરનાર ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement


Share

Related posts

માંગરોળ તાલુકામાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક, માર્ગ પર માટી ખલવાતા વાહનચાલકો પરેશાન

ProudOfGujarat

સુરતમાં વડતાલ સ્વામીનારાયણના સાધુએ ભગવો લજવ્યોઃ પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બે વખત દુષ્કર્મ કર્યું

ProudOfGujarat

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!