Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-ઝઘડિયાના અસા ગામના લોકો દ્વારા ૧૦ થી વધુ ઓવરલોડ રેતીની ટ્રકો અટકાવવામાં આવી.રેતી ખનન માફિયાઓમાં ફફડાટ…

Share

દિનેશભાઇ અડવાણી

ઝઘડિયાના ઇન્દોર પાણેથા અને વાસણામાં રેતીની લીઝો આવેલી છે.ત્યાંથી દરરોજ અસંખ્ય ગાડીઓથી રેતીનું વહન થાય છે.ઇન્દોરથી પાણેથા જવા માટેના માર્ગ પર સાતથી વધુ ગામો આવેલા છે અને આ ગામના વિદ્યાર્થીઓ , નોકરિયાત લોકો, વેપારીઓ માટે ઉમલ્લા તરફ આવવા માટે આ એક જ માર્ગ છે જે રેતી ભરેલી ટ્રકોના કારણે બિસ્માર હાલતમાં છે.રેતી ભરીને ચાલતી અસંખ્ય ટ્રકોના કારણે આ માર્ગની હાલત અત્યંત બિસ્માર થઈ ચુકિ છે અને ચોમાસામાં આ માર્ગ પર બાઇક પણ ગુજરી ના શકે એવી હાલત થાય છે માટે અસા ગામના લોકોએ ચોમાસા પૂરતી લીઝ બંધ કરવા લીઝ ધારકોને જણાવ્યું હતું અને લીઝ ધારકો દ્વારા લીઝો બંધ ન કરાતા આજરોજ અસા ગામના લોકો ઈન્દોર પાણેથાથી રેતી ભરીને નીકળેલી ટ્રકોને રોકી તમામ ૧૩ જેટલી ટ્રકોને ભરૂચ ખાણ ખનીજ ટીમને સોંપવામાં આવી છે. 

Advertisement


Share

Related posts

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગમાં SSIP અંતર્ગત “ ફાઈનાન્શિયલ એજ્યુકેશન ફોર યંગ સીટીઝન “ વિષય પર બે દિવસીય વર્કશોપનુ આયોજન કરાયું.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકોનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામની ગોચર, તળાવ સહિતની પડતર જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનન થતી હોવાની ફરિયાદ કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!