Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-ઝઘડિયાના અસા ગામના લોકો દ્વારા ૧૦ થી વધુ ઓવરલોડ રેતીની ટ્રકો અટકાવવામાં આવી.રેતી ખનન માફિયાઓમાં ફફડાટ…

Share

દિનેશભાઇ અડવાણી

ઝઘડિયાના ઇન્દોર પાણેથા અને વાસણામાં રેતીની લીઝો આવેલી છે.ત્યાંથી દરરોજ અસંખ્ય ગાડીઓથી રેતીનું વહન થાય છે.ઇન્દોરથી પાણેથા જવા માટેના માર્ગ પર સાતથી વધુ ગામો આવેલા છે અને આ ગામના વિદ્યાર્થીઓ , નોકરિયાત લોકો, વેપારીઓ માટે ઉમલ્લા તરફ આવવા માટે આ એક જ માર્ગ છે જે રેતી ભરેલી ટ્રકોના કારણે બિસ્માર હાલતમાં છે.રેતી ભરીને ચાલતી અસંખ્ય ટ્રકોના કારણે આ માર્ગની હાલત અત્યંત બિસ્માર થઈ ચુકિ છે અને ચોમાસામાં આ માર્ગ પર બાઇક પણ ગુજરી ના શકે એવી હાલત થાય છે માટે અસા ગામના લોકોએ ચોમાસા પૂરતી લીઝ બંધ કરવા લીઝ ધારકોને જણાવ્યું હતું અને લીઝ ધારકો દ્વારા લીઝો બંધ ન કરાતા આજરોજ અસા ગામના લોકો ઈન્દોર પાણેથાથી રેતી ભરીને નીકળેલી ટ્રકોને રોકી તમામ ૧૩ જેટલી ટ્રકોને ભરૂચ ખાણ ખનીજ ટીમને સોંપવામાં આવી છે. 

Advertisement


Share

Related posts

માંગરોલના મોસાલી ગામે બિરસા મુંડા પ્રતીમાનું અનાવરણ કરાશે

ProudOfGujarat

કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ-અલગ સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!