Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ભેળસેળ યુક્ત ખાધતેલનું ખુલ્લેઆમ વેચાણ : તંત્ર ઘોરનિંદ્રામાં

Share

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર વેપાર કેન્દ્ર છે અહીં મોટાભાગના જથ્થાબંધ વેપાર કરતા વેપારી ઓની દુકાનો આવેલ છે અને નાનામોટા વેપારીઓ પાસેથી માલસામાન પીહોંચતા હોય છે કોઇપણ જાતની રસોઈ બનાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે અને તેના વગર સ્વાદ ફિક્કો લાગે છે પંચમહાલ સહિત ગોધરાવાસીઓ તેલવાંળુ ચટાકેદાર ખાવાના શોખીન છે પણ આવું તેલ ભેળસેળવાળુ હોય તો આરોગ્ય માટે હાનિકારક પુરવાર થાય છે અને આવું ભેળસેળવાળુ તેલ શરીરમાં આરોગતા રોગનો ભોગ બનવું પડે છે ગોધરા શહેર માં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળવાળુ તેલ વેચીને રોકડી કરી લેવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે કેટલાક વેપારીઓ પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાની કરિયાણાની દુકાનમાં વેપારીઓને આ તેલ સસ્તા ભાવે વેચી રહ્યા છે આ તેલના કારણે ભોળીભાલી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે તેમ કહીએ તો કોઈ બેમત નથી. ગોધરા શહેરમાં કેટલાક તેલના વેપાર કરનાર વેપારીઓ અન્ય જિલ્લાઓમાં આવેલ કેટલીક તેલની મીલ માંથી મોટા પ્રમાણમાં પામોલીન તેલનો જથ્થો ખરીદી લે છે અને તેમાં ભેળસેળ કરી સિંગતેલમાં પરિવતીંત કરી નાખે છે તેમજ ખોટા નકલી લેબલ અન્ય તેલ કંપનીઓના લગાવી દે છે અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ કરી ગ્રાહકોને પધરાવી દે છે બીજી ચોંકાવનારી વાત એ છે કે આવા સિંગતેલ અને કપાસીયા તેલના ડબ્બાઓ ઓછા ભાવે કેમ મળે છે? તે પણ વિચારવા જેવી બાબત છે અને આવા ભેળસેળ યુક્ત તેલના કારણે અનેક રોગો થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે આવા ભેળસેળ કરનારા તેલના વેપારીઓ વિરુદ્ધ લાગતા વળગતા સબંધિત તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.

Advertisement

Share

Related posts

જાણો ભરૂચ જીલ્લા માં ક્યાં હાઇવા ટ્રક ઉંચુ થઇ ગયું..!!!

ProudOfGujarat

ભરૂચમાં લોકડાઉન દરમિયાન લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર આજથી વિના મૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરાયું હતું.

ProudOfGujarat

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!