Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

Share

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

મુંબઇ મહારાષ્ટ્ર માં સહકારી બેંક પી.એમ.સી માં બનેલી ઘટના ના પડઘા વલણ ખાતે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્ર માં જોવા મર્યા છે. સામાન્ય લોકો માં ગભરાહતના પગલે બેંક માં પૈસા ઉપાડવા પડાપડી થતા બેંક દ્વારા પોસ્ટરો લગાડી આ રાષ્ટ્રીયકૃત બેંક છે તેમજ તમારી જમા રકમ સલામત છે એમ જણાવવું પડ્યું હતું

વલણ બૅન્ક ઓફ મહારાષ્ટ્ર ના બેન્ક મેનેજર સુદેશ કુમારે એક નિવેદન માં જણાવ્યું છે.
મુંબઈ મહારાષ્ટ્ર માં સરકારી બેંક (પી.એમ.સી) માં બનેલી ઘટનાઓ સાથે બેંક ઓફ મહારાષ્ટ્ર ને કોઈ પણ નિસ્બત નથી. અહીં ગ્રાહકો નાં નાણાં સલામત હોવાનું જણાવી મેનેજરે અફવા ઓ સબંધી બાબતો નો રદિયો આપ્યો હતો અને ગ્રાહકો ને ચેક તેમજ પાન કાર્ડ ઉપર પૂરતી રકમ આપવામાં આવે છે એમ જણાવ્યું હતું ઉપરાંત જેઓ પાસે ચેક બુક નથી એવા ગ્રહકોએ બેન્ક માંથી ચેક બુક ની સગવડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ બેન્ક ની શાખા દ્વારા નાણાં ઉપાડવા ની કોઈ મર્યાદા મૂકી નથી.ગ્રાહકો ને પૂરતી રકમ આપવામાં આવે છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

દહેજની એલાઇવસ લાઇફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વેળાં આગ ભભુતાં ત્રણ કર્મચારીઓ દાઝ્યાં

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપલા રેલવેની સાથેસાથે ઝઘડિયા નેત્રંગ રેલવે પણ ચાલુ કરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!