Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નશાબાજ ડ્રાઈવરો પર એસ.ટી. વિભાગની લાલ આંખ

Share

તાજેતરમાં એક નશાબાજ બસ ડ્રાઇવરે છોટાઉદેપુરની બસ વડોદરાના બદલે રાજપીપળા ડેપોમાં લઈ જતાં સુરત એસ.ટી. વિભાગે તેની ગંભીર નોંધ લઈ અને ડ્રાઈવરનો બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કર્યા બાદ જ ફરજ પર ચઢવાનો આદેશ કર્યો છે.
વધી રહેલા અકસ્માતો તેમજ નશાખોર ડ્રાઈવર કંડકટરો સામે એસ.ટી વિભાગે કડક હાથે કામ લેવાનું નક્કી કરી ડ્રાઈવર કંડક્ટરોને નોકરી પર ચઢતા પહેલાં નશો કર્યો છે કે નહીં તેની બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરવાનું અને બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ નેગેટિવ આવે તો કડક કાર્યવાહી કરવાનું ફરમાન કરતાં નશાખોર ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે આ નિયમનો અમલ કયાં સુધી થાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના રાજપીપલા રોડ ની આસપાસ ના વિસ્તારમાં ચાલતા કેમિકલ કૌભાંડ કરનારા ઝડપાયા

ProudOfGujarat

ઝગડીયા તાલુકામાં શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ” વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!