Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

Share

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વિજયસિંહ રાજા ના સર્કલ ની આસપાસ ભારે નુકસાન થયેલ છે. રાજપીપળા ના પ્રવેશદ્વાર પર આવેલું ઐતિહાસિક કાલાઘોડા સર્કલ કે જ્યાં મહારાજા વિજયસિંહજી મહારાજ ની પ્રતિમા ઘોડા પર હોય એ સર્કલ ની આસપાસ દીવાલ અને જાળી સહિત નું કવચ બનાવેલું હોય જેને વહેલી સવારે પુરપાટ આવતી એક ટ્રક નં.DN.09.S.9013 ના ચાલક નૂરઆલમ શફીક (રહે, કામરેજ,સુરત) એ પૂરપાટ ટ્રક લાવી સર્કલ ની બાઉન્ડરી અને ગ્રીલ સાથે અથાડતા તોડભાંગ કરી નુકસાન કર્યું હતું.એક વર્ષ અગાઉ જ આ ઐતિહાસિક સર્કલ લાખોના ખર્ચ બનાવવા માં આવ્યું હતું આ બાબતે રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આરીફ કુરેશી:- રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

ProudOfGujarat

ભરૂચનાં માથાભારે બુટલેગર નયન કાયસ્થને ભરૂચનાં ગોલ્ડન બ્રિજ નજીક એલ.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં વાધેથા ગામે જન્મ દિવસ ઉજવવાનો ભારે પડયું પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!