Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી હતી નશાની ગોળીઓ.

Share

અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાનો દુકાન સંચાલક તરંગ નામની ઈન્દોર બનાવટની નશાની ગોળીઓ વેચતાં પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં પહેલા ઈન્દોર મધ્યપ્રદેશથી એક રસિલા નામની અફીણ યુકત ગોળીઓ પાનનાં ગલ્લે, દુકાનોમાં રૂ.5 નાં ભાવથી લઈને રૂ.15 સુધીમાં વેચાતી હતી. ભૂતકાળમાં અફીણ યુકત રસિલા નામની ગોળીઓ વેચતા કેટલાક પાનનાં ગલ્લાવાળા ઝડપાયા હતા. તેના અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયા છે. જયારે આજે સવારે ભરૂચ એસ.ઓ.જી. પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં પાકી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દિલીપ પોદાર નામનો વ્યક્તિ સોસાયટીમાં અનાજ કરિયાણાની આડમાં તરંગ નામની નશા યુકત પદાર્થવાળી ગોળીઓ વેચી રહ્યા હોવાની બાતમીને પગલે રેડ કરતાં તેની દુકાનમાંથી એક કિલો ગોળી ઝડપાતા પોલીસે તેની અટક કરી તેની સામે નારકોટિકસ એન્ડ ડ્રગ્સ મુજબ ગુનો દાખલ કરી આ ગોળીઓ કોણ સપ્લાય કરતું હતું તેની તપાસ SOG પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં વેપારી પાસેથી મળી 500 ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ આ વર્ષ ૨૨૬૨ ટોટલ ફોર્મ ભરાયા.આજ થી દરેક વાલીના ઘરે જઈ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!