Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

Share

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય તે ભાવનાથી હાંસોટ તાલુકાના વિશોદ નગરી કતપોર ખાતે આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે વાસ્તુ પૂજન તથા નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન કંટારીયા પરીવારના 101 કપલે નવ ચંડી યજ્ઞમાં શ્રદ્ધા ભાવપૂર્વક ગોર મહારાજની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી દરમ્યાન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલનાઓ હાજર રહી પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કતપોર ગામના આગેવાનો ખુશાલભાઇ, ભરતભાઇ, રસિકભાઇ, ભગતભાઇ તથા ઠાકોરભાઇ આહીરનાઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. 

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે હેડ બોય-હેડ ગર્લની લોકશાહી પધ્ધતિથી ચૂંટણી યોજાઈ…

ProudOfGujarat

હાલોલ:GIDCમાં આવેલી ગુટખા કંપનીમાથી 70 કરોડની કરચોરી પકડાઇ

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ તેના વિચારો શેર કર્યા કે 2021 એ તેને વ્યક્તિ તરીકે વ્યક્તિગત રૂપે શું શીખવ્યું અને 2022 માટે તેનો મુખ્ય સૂત્ર શું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!