Proud of Gujarat
FeaturedGujaratINDIA

22 મી માર્ચએ જનતા કરફર્યુંને લઈને ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ તમામ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રહેશે.

Share

કોરોના વાઇરસને લઈને 22 મી માર્ચનાં રોજ જનતા કરફર્યુંની ધોષણા કરવામાં આવતા ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય એસ.ટી વિભાગ ભરૂચ દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસને લઈને પ્રધાનમંત્રી મોદીજી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધનમાં આ વાઇરસને લઈને તા.22 માર્ચને રવિવારનાં રોજ જનતા કરફર્યુ માટે ધોષણા કરવામાં આવતા તેના અનુસંધાનમાં ભરૂચ એસ.ટી વિભાગનાં વિભાગીય નિયમકને મળેલ આદેશને લઈને વર્તુળમાં આવતા તમામ ડેપો તેમજ તમામ રૂટોની બસો સવારનાં 7 વાગ્યાથી લઈને રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મુસાફર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે. બીજી તરફ ભરૂચ વિભાગમાંથી અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા, ભરૂચ ડેપોમાંથી મહારાષ્ટ્ર રાજયમાં જતી તમામ એસ.ટી બસો ગુજરાતની બોર્ડર સુધી દોડાવવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ.ટી ભરૂચનાં મત્રોજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

સુરત પંથકમાં ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં GLDC ના કર્મચારી પાસેથી દસ કરોડ ઉપરાંતની રકમ મળી આવતા એન્ટી કરપ્શન બ્યુરો અને ડી.એ દ્વારા કર્મચારીને તેની પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!