Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ માં કોરોનાનો પગપેસારો, ૭૮ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવતા વડોદરા રીફર કરાયો

Share

દેશભરમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસનાં કેસ ગુજરાતમા પણ નોધાયા છે. પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનૂ સંકમ્રણ ના થાય તે માટે સંતર્કતા રાખવામા આવતી હતી. અને લોકડાઉનનો ચૂસ્ત અમલ પણ કરવામા આવતો હતો. પંચમહાલમા પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. આજે પંચમહાલ જીલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોધાયો હોવાની વિગત પ્રાપ્ત થવા પામી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની અખબારી યાદીની માહિતીમાં જણાવ્યા અનૂસાર આજે સૂરત અને પોરબંદરમા કોરોનાના બે કેસની સાથે પંચમહાલમાં પણ આજે પ્રથમ વખત કોરોનાનો કેસ નોધાયો છે. જેમા ૭૮ વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. હાલમા તેમને વધૂ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામા આવ્યા છે. નોધનીય છે કે પંચમહાલમા પ્રથમ વખત કોરોનાએ દસ્તક દેતા જીલ્લાવાસીઓમાં પણ ભયનુ મોજુ ફરી વળ્યૂ છે. ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ એકશનમા આવ્યૂ છે. ત્યારે જીલ્લાવાસીઓ એ પણ હવે તંત્રની અપીલને વધૂને વધૂ કાને ધરવાની જરુર છે. અને કામ વગર પણ બહાર ન નીકળી પ્રધાનમંત્રી મોદીની Stay at home નીઅપીલને ફોલો કરવી જોઈએ.

રાજુ સોલંકી :- ગોધરા

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાત્રે ચાલુ વરસાદમાં રતન તળાવમાંથી બહાર આવી ગયેલા કાચબાને જીવદયા પ્રેમી નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

આજરોજ ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે GNFC ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!