Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ ડી એમ દ્વારા પાલેજ નગરની મુલાકાત લઇ કોરોના વાયરસ સંદર્ભે પર્યાપ્ત માહિતી મેળવી હતી.

Share

હાલમાં જ ભરુચ જિલ્લો પણ કોરોના ગ્રસ્ત યાદીમાં સમાવિષ્ટ થતા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એકદમ સતર્ક બની જવા પામ્યું છે. ભરૂચના ઇખર ગામમાં બે દિવસ અગાઉ કોરોના વાયરસના ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે સાત કિમીની ત્રીજ્યાનો વિસ્તાર તંત્ર દ્વારા સીલ કરાતા જેની માહિતી માટે ઉચ્ચ અધિકારીઓની દોડધામ વધી જવા પામી છે. ગતરોજ મોડી સાંજના ભરૂચના એસ ડી એમ નિરંજન પ્રજાપતિ ભરુચના પાલેજ નગરની મુલાકાતે આવ્યા હતા.તેઓએ પાલેજ નગરના બહુધા વિસ્તારોમાં ફરી લોક ડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં એસ ડી એમ એ જણાવ્યું હતું કે હાલ ભરૂચના ઇખર ગામમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ સામે આવતા સાત કિમી વિસ્તારમાં લોક ડાઉનનો કડક અમલ થાય એ માટે સ્થિતિનો તાગ મેળવવા નગરની મુલાકાત લીધી હતી.પ્રજાજનોને પોલીસ તથા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા તેમજ બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા તેઓએ અપીલ કરી હતી. એસ ડી એમ સાથે ભરુચ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઇ, પાલેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુરેશ વાળંદ પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સ્કુલની વિધાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજા૨વાના કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

ભરૂચ કોગ્રેસ કાર્યોલય ખાતે સરદાર જન્મ જંયતી અને સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી ની પુણ્યતિથિ નીમીતે શ્રંદધાજંલી કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!