Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુરવઠા નિગમના ગોડાઉન, એપીએમસી ખાતેનિયત કરેલા સેન્ટરો પર ખરીદી થશે

Share

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ રૂ.1925/-ના ભાવે તા. 20/04/2020થી તા. 31/05/2020 સુધી ઈ-પ્રોક્યોરમેન્ટ હેઠળ આ ખરીદી હાથ ધરાશે. યાદી અનુસાર પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન/ એપીએમસી ખાતે નિયત કરેલ સેન્ટરો ગોધરા, કાંકણપુર, હાલોલ, દેલોલ (કાલોલ), શહેરા, મોરવા (હ) અને ઘોઘંબા ખાતેથી સરકારશ્રીના યુનિફોર્મ સ્પેસીફિકેશન/ એફ.એ.ક્યુ. (ફેર એવરેજ ક્વોલિટી) સામાન્ય ગુણવત્તા ધરાવતો ઘઉંનો જથ્થો ખરીદવામાં આવશે. જેનો લાભ નોંધણી કરાવેલ તમામ ખેડૂતભાઈઓને લેવા આ યાદીમાં જણાવાયું છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના વાઇરસને લઇને જરૂરી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉભી થાય તે માટે રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ બાયપાસના સર્વિસ રોડની દયનીય હાલત: સ્થાનિકોમાં રોષ, GSRDC પર ભ્રષ્ટાચારના આક્ષેપ; રસ્તો બ્લોક કરવાની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!