Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના ૨૨ જેટલા કેસો સામે આવતા તંત્રનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તેમજ શહેરના વિસ્તારોને સિલ કરવામાં આવ્યા છે. તમામ પોઝીટિવ કેસો વારા તમામ વિસ્તાર અને ગામો COVID-19 Containment Area જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિસ્તારોમાં બિન જરૂરી કામ વગર નીકળવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ ૨૨ જેટલા કોરોનાના પોઝીટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ સંક્રમિત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે જે આંક ૧૨૭૨ જેમાં ૪૮ લોકોના મોત નિપજ્યા છે. તેમજ ૮૮ જેટલા લોકો રિકવર થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

દહેજ ગામે બુટલેગરની કારથી અકસ્માત, કહેવા જતાં દંપતિ પર હુમલો

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે નાણાકિય સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!