Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુરવઠા નિગમના ગોડાઉન, એપીએમસી ખાતેનિયત કરેલા સેન્ટરો પર ખરીદી થશે

Share

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ રૂ.1925/-ના ભાવે તા. 20/04/2020થી તા. 31/05/2020 સુધી ઈ-પ્રોક્યોરમેન્ટ હેઠળ આ ખરીદી હાથ ધરાશે. યાદી અનુસાર પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન/ એપીએમસી ખાતે નિયત કરેલ સેન્ટરો ગોધરા, કાંકણપુર, હાલોલ, દેલોલ (કાલોલ), શહેરા, મોરવા (હ) અને ઘોઘંબા ખાતેથી સરકારશ્રીના યુનિફોર્મ સ્પેસીફિકેશન/ એફ.એ.ક્યુ. (ફેર એવરેજ ક્વોલિટી) સામાન્ય ગુણવત્તા ધરાવતો ઘઉંનો જથ્થો ખરીદવામાં આવશે. જેનો લાભ નોંધણી કરાવેલ તમામ ખેડૂતભાઈઓને લેવા આ યાદીમાં જણાવાયું છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા ઝાડેશ્વર ખાતે સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમ વર્ગની કરાઇ શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!