Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાની પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના અંદાજીત ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકો છે,દૈનિક ૫૦,૦૦૦ વધુ દુધ સંપાદન થાય છે,

હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા પણ સાવચેતીના પગલના ભાગરૂપે સમગ્ર દેશને ૩ મે સુધી લોડડાઉન કરી દેવામાં આવ્યું છે,કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પ્રજાને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ રહી છે, અને આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુની દુકાનો સહિત સ્વૈચ્છિક સંસ્થાઓને સમય મયૉદામાં કામગીરી કરવાની સુચના અપાઇ છે, જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ સન્મુખ ભક્ત અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકે તે માટે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે મંડળીના સભાસદો અને ૮૦૦૦ જેટલા દુધ ઉત્પાદકોને અને દુધ એકત્રીકરણ કરતાં એજન્ટોને સેનીટાઇઝરની બોટલનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે,જ્યારે શીત કેન્દ્ર ઉપર આવતા વાહનો, દુધની કેન અને કેમ્પસને નિત્યક્રમ સેનીટાઇઝેશન કરવામાં આવે છે, દુધ એક આવશ્યક હોવાથી શીત કેન્દ્ર,ઓફિસના કમૅચારીઓ,દુધ વાહતુક વાહનો સાથે સંકળાયેલા માણસો સલામતી પુરતા પગલા પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેલી 700 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાંથી ઠેર ઠેર ચેકવાલની ચોરી…

ProudOfGujarat

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં 6 નાં મોત, ત્રણ ગંભીર

ProudOfGujarat

ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!