Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં રોગી કલ્યાણ સમિતિએ ૫૦ લીટર સેનીટાઇઝર – પંપ ૧૦૮ એમ્બ્યુલન્સને આપ્યું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણથી દર્દી અને ૧૦૮ના કર્મચારીઓને બચાવવા અને તેમની તકેદારીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની “રોગી કલ્યાણ સમિતિ”ના સભ્ય અતુલ બી પટેલ અને ગણેશ સુગર વટારીયાના દ્વારા ૫૦ લીટર સેનીટાઈઝર અને નેત્રંગ તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી યોગેશ ડી પવાર દ્વારા ૧૦૮ ને સેનીટાઇઝ કરવા પંપ આપી ૧૦૮ ને કોઈપણ શંકાસ્પદ દર્દીનો કેસ લાવ્યા પછી એમ્બ્યુલન્સને સેનીટાઈઝર વડે વિષાણુ મુક્ત રાખવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી નેત્રંગ તાલુકાને કોરોના મુકત કરવાનો સંકલ્પ લીધો છે.યોગેશ પવાર અને અતુલ પટેલના હસ્તે ૧૦૮ નેત્રંગ-૧ અને ૨ ના ઈએમટી અને પાયલોટને સેનીટાઈઝર અને ૧૦૮ ને સંપૂર્ણ રોજેરોજ સેનિટાઈઝ કરવા માટે પંપ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : ભાજપાના શહેર અધ્યક્ષનું 50 તોલા સોનુ એસ.બી.આઇ. ના લોકરમાંથી ચોરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીનો જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા ખાતે યોજાશે

ProudOfGujarat

સુરત શહેર-જિલ્લામાં એલ.પી.જી. ગેસનો પૂરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!