Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાની પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના અંદાજીત ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકો છે,દૈનિક ૫૦,૦૦૦ વધુ દુધ સંપાદન થાય છે,

હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા પણ સાવચેતીના પગલના ભાગરૂપે સમગ્ર દેશને ૩ મે સુધી લોડડાઉન કરી દેવામાં આવ્યું છે,કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પ્રજાને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ રહી છે, અને આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુની દુકાનો સહિત સ્વૈચ્છિક સંસ્થાઓને સમય મયૉદામાં કામગીરી કરવાની સુચના અપાઇ છે, જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ સન્મુખ ભક્ત અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકે તે માટે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે મંડળીના સભાસદો અને ૮૦૦૦ જેટલા દુધ ઉત્પાદકોને અને દુધ એકત્રીકરણ કરતાં એજન્ટોને સેનીટાઇઝરની બોટલનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે,જ્યારે શીત કેન્દ્ર ઉપર આવતા વાહનો, દુધની કેન અને કેમ્પસને નિત્યક્રમ સેનીટાઇઝેશન કરવામાં આવે છે, દુધ એક આવશ્યક હોવાથી શીત કેન્દ્ર,ઓફિસના કમૅચારીઓ,દુધ વાહતુક વાહનો સાથે સંકળાયેલા માણસો સલામતી પુરતા પગલા પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંડવી નગરના અંબાજીનાકા વી એફ હાઇસ્કુલ પાછળ રહેતા આલાભાઇ ભરવાડ નો પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત.

ProudOfGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

રાજપારડી : સારસા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત- બે ઇસમોને ઇજા કારમાં રહેલ બે વ્યક્તિઓ ને પણ પછડાટથી ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!