Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીનાં નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે .

Share

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને અને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ અંગે સગીરાનાં માતા-પિતાને જાણ થતા મામલો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે પહોંચ્યો છે. જીઆઇડીસી પોલીસે સુરેશ વણઝારા વિરુદ્ધ પોસ્કો એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડનાં ચક્ર ગતિમાન કર્યા છે. સગીરા સાથે દુષ્કર્મનાં આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023 ના પરિણામો, વાર્ષિક કોન્સોલિડેટેડ કુલ આવક અને નફો સર્વોચ્ચ નોંધાયો

ProudOfGujarat

ભરૂચમાં ફિજીયોથેરાપીસ્ટ ડૉ. સ્નેહા બાબરીયાની ઊંચી ઉડાન, અનેક દર્દીઓની સારવાર કરી સાજા કર્યા

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરોની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ : જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!