Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નાગેશ્રી ગામના યુવકની રહસ્યમય સંજોગો માં આત્મહત્યા…વ્યાજ પર ગેરકાયદેસર નાણાં ધીરનાર ને શું લોકોની હાય લાગી…?

Share

નાગેશ્રી ગામના યુવકની રહસ્યમય સંજોગો માં આત્મહત્યા… વ્યાજ પર ગેરકાયદેસર નાણાં ધીરનાર ને શું લોકોની હાય લાગી….? મૃતક ના નિવાસ સ્થાને થી મળી આવેલ સોના ચાંદી ના દાગીના નો જગી જથ્થો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ ખાતે એક યુવકે રહસ્ય મય સજોગો માં આત્મહત્યા કરી હતી. લોકો કહી રહ્યા છે કે લોકો ના નિશાશા લાગતા યુવકે આત્મહત્યા કરી હતી વાસ્તવિકતા શું છે…? તેતો તપાસ દરમિયાન ખબર પડશે
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય ની સૂચના મુજબ ડી.વાય.એસ.પી કે.જે.ચૌધરી બનાવ ની તપાસ કરી રહ્યા છે ત્યારે આ બનાવ માં સૌથી રહસ્યમય બાબત એ છે કે આત્મહત્યા કરનાર યુવક ના નિવાસ સ્થાને થી રૂ 1,56,41800 ની કિંમત ના એટલે કે એક દોઢ કરોડ રૂપિયા કરતા વધુ કિંમત ના સોના ચાંદીના દાગીના મળી આવ્યા. હિતેશ ગેરકાયદેસર વ્યાજ પર નાણાં ધીરાણ કરવાનો ધધો કરતો હતો. આશરે 700 કરતા વધુ લોકો સાથે નાણાંકીય લેવડ દેવડ કરી હતી. સમય સૂચકટા દાખવી પી.એસ.આઈ બી.જી વાળા એ જગી સોના ચાંદી નો જથ્થો જપ્ત કરેલ છે. આ સમગ્ર ઘટના ની પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં મકાનની બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત, 11 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

સુરત : સરકારની ગાઇડલાઈનનો પોલીસ મથક કે બહુમાળીમાં ભંગ કરનારને પણ સજા ફટકારશે અધિક કલેકટર.

ProudOfGujarat

ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર : રાત્રિના 9 થી 6 સુધી રહેશે અમલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!