Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં પાડોશીએ તીર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તની ત્રણ કલાક બાદ સર્જરી સફળ રહી

Share

રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમમાં વધારો થતો જાય છે. એ પછી ભાઇ-ભાઇ વચ્ચે હોય કે અડોશ-પડોશમાં હોય કે પછી કોઇ ધંધામાં હોય. નાની વાતમાં હુમલો કરવો એ જાણે સામાન્ય બની ગયુ હોય તેવુ લાગે છે. ક્યારેક આ નાની વાત મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે તેની ખબર પણ પડતી નથી અને જીવલેણ બની જાય છે. મોટા હથિયારો વડે જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારવુ આજે સામાન્ય બની ગયુ છે. ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના ઉગલિયા ગામમાં જોવા મળ્યો હતો. જ્યાં પાડોશીએ તીર વડે એવો હુમલો કર્યો છે કે જાણે આંખ વીંધી નાખી.

આ બનાવની વિગત મુજબ બે દિવસ પહેલા જ છોટાઉદેપુર જિલ્લાના ઉગલિયા ગામે દિલીપભાઇ ધામક પર તેમના પાડોશીએ તીર વડે હુમલો કર્યો હતો. તીરે તેની આંખને વીંધી, મગજમાં ઈજા પહોંચાડી હતી. તીરની ટોચ તેના મગજની મુખ્ય નળીઓની ખૂબ જ નજીક આવેલ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે જોઇને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને ખૂબ જ પડકારજનક ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

ડૉ. પાર્થ મોદી, ડૉ. અંકિત શાહ, ડૉ. વિનય અને ડૉ. શ્રુતિબ જુનેજા આમ ન્યુરોસર્જન અને ઑપ્થાલોમોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું,. લગભગ 3 કલાક ચાલેલી આ સર્જરી ખૂબ સફળ રહી હતી. જેમા તેની આંખ અને મગજની નળીઓ બંનેને બચાવવામાં આવી હતી. આ સફળ ઓપરેશન બાદ ડોક્ટર અને દિલીપભાઇના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

રાજપીપલાની સગીર કન્યાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર અપહરણ કરી મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર પોસ્ટ ઓફિસ પર સર્વર ડાઉન થતા લોકોને પડી હાલાકી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!