Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?

Share

ભરૂચ નગર પાસે આવેલ જ્યોતિ નગર જેવા રહેનાક વિસ્તાર માં કચરા માં પી.પી.ઈ કીટ જણાતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ કારણોસર કોરોના ભયાનક રીતે ફેલાય તે માટે જવાબદારી કોની તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સાથે જ પી.પી.ઈ કીટ વગે કરનાર સામે અને તત્ર સામે રોષ ની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ નગર માં પણ કેટલાક દિવસો પહેલા પી.પી.ઈ કીટ કચરાપેટી માંથી મળી આવી હતી. આ ઘટના ને ગણત્રી ના દિવસો વીત્યા છે. ત્યા જ્યોતિનગર પાણી ની ટાંકી પાસે કચરા માં પી.પી.ઈ કીટ મળી આવી હોવાની ઘટના બની છે.hu આ ઘટના અંગે કોઈ તબીબ જવાબ દાર હોય શકે છે અથવા તો મેડિકલ વેસ્ટ કચરા અંગે કોઈ ભૂલ થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પરતું આવી ગંભીર ભૂલ ના પગલે લોકોનું આરોગ્ય જોખમ માં મુકાઈ રહ્યું છે. જેથી તત્ર દ્વારા સી.સી.ટી.વી કેમેરા ના ફૂટેજ તપાસી ને જવાબદરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સેજલ દેસાઈ એ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

ProudOfGujarat

સેવલિયાના બળાત્કારનાં આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર : સનત રાણા હોલથી સુરતી ભાગોળને જોડતા રોડનું ખાત મુહર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!