Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

Share

તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં પ્રત્યાધાત જણાયા હતા. રાજકીય આગેવાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી પરંતુ ત્યારબાદ અત્યંત ધીમી ગતિએ તપાસ ચાલી રહી છે. તેવામાં પોલીસતંત્રએ તપાસમાં વેગ લાવતા સદોષ માનવ વધના ગુનામાં બે અધિકારીઓની અટક કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવેલ છે. આ અધિકારીઓમાં અટલ બિહારી અને ભરત ભુષણનો સમાવેશ થાય છે. જોકે આ બાબતે હજી પોલીસતંત્ર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ અટક કરાયેલ અટલ બિહારી અને ભરત ભુષણનું કોરોના ટેસ્ટિંગ કરતાં બંનેના કોરોના ટેસ્ટ પોઝીટિવ આવતા તેમણે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જયારે સંપર્કમાં આવેલ 5 પોલીસ કર્મીઓને પણ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચની જુની APMC ખોલવાની રજુઆત ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા APMC ચેરમેન અને જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ અદાલત.

ProudOfGujarat

ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી મુકાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!