Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં શીતળા માતાજીનાં મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

Share

કોરોનાની ચાલી રહેલી વૈશ્વિક મહામારીને રોકવાના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાતમ-આઠમ દરમ્યાન યોજાતા લોકમેળા કોરોનાની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે, લીંબડી રાજકોટ રોડ ઉપર પૌરાણિક શિતળા માતાજીનું મંદિર આવેલ છે. શીતળા માતાજી છાલિયા રામસાગર લીંબડી ખાતે સાતમનાં દિવસે મેળા જેવો માહોલ જામે છે, આ મંદિરે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને શીતળા માં ના દર્શન કરીને મેળાનો આનંદ લેતા હોય છે, તેમજ આ દિવસે અનેક લોકો બાધાઓ પુરી કરવા પણ પહોંચતા હોય છે. આ વર્ષે કોરોનાની મહામારીનાં કારણે પૌરાણિક જગ્યા ઉપર યોજાતો લોકમેળો, પ્રસાદ પણ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે અને લોકોને ઘરે રહીને જ ઠંડુ જમવા તેમજ બાધાઓ પુરી કરવા અને ઘરે રહીને શીતળા સાતમની ઉજવણી કરવા અપીલ પણ કરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાનાં સી.આર.સી. તથા મુખ્યશિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરુચ ના પાલેજ નજીક હાઇવે ઉપર પુનાથી અમદાવાદ જતી કાબરા ટ્રાવેલ્સ ની બસ માં રાજસ્થાન ના બે મુસાફરો પાસેથી એકલાખ નો મુદામાલ કબ્જે કર્યો હતો

ProudOfGujarat

વાવે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા ગામે ૫૦૦૦ જેટલા વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું હતું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!