Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

Share

ભરૂચ મહંમદપુરા સ્થિત APMC માં વિશાળ આગ લાગતાં રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રીય કિસાન સંધનાં અરવિંદસિંહ રણાએ જણાવ્યુ હતું કે આ આગનો બનાવ ખૂબ રહસ્યમય છે. વરસતા વરસાદમાં આગ લાગતાં આ બનાવ વધુ રહસ્યમય બન્યો છે. જેમાં વેપારીઓને અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ઘટના બાદ તાત્કાલિક કોઈ અધિકારી કે પદાધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી નથી. તા.17-8-2020 નાં રોજ APMC નાં વેપારીઓની બેઠક યોજાઇ હતી જેમાં આવનારા દિવસોમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બનાવ અંગે તપાસ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. સમગ્ર પંથકમાં APMC માં લાગેલ આગનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઘણા લોકોએ આ બનાવ અંગે શંકા કુશંકા વ્યકત કરી હતી. તે સાથેસાથે આ બનાવ કોઈ ષડયંત્રનો ભાગ હોય તેવી શંકા પણ વ્યકત કરવામાં આવી હતી. APMC મહંમદપુરા કોરોના મહામારી લોકડાઉનનાં સમયથી વિવાદમાં ધેરાયેલી રહી છે. જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારબાદ બંધ કરાયેલ APMC ફરી શરૂ કરવામાં આવી હતી તેના ગણતરીના સમયમાં આ આગનો બનાવ દુખદ માનવમાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

ભરૂચ : જીવીકે ઈ.એમ.આર.આઈ 108 એમ્બ્યુલન્સ તેમજ 108 નાં તમામ પ્રોજેક્ટ દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ પાઇલોટ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરત :ચૂંટણી દરમિયાન કામગીરી કરનાર ટીમ માંગરોલના શિક્ષકોએ પોતાનું મહેનતાણું કોવિડ કેર માટે મંત્રી ગણપતસિંહ વસાવાને જમા કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!