Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા, બોરસદ, દેગડીયા, ડુંગરીનાં ખેડૂતોએ ખેતી વિષયક વીજ તાર ચોરાયા અંગેની રજુઆત માંગરોળનાં કાર્યપાલક ઈજનેરને કરી.

Share

સતત વરસતા વરસાદમાં ઝાંખરડા ગામમાં આવેલ ખેતી વિષયક જોડાણનાં તાર ચોરનારા રાત્રીના સમયે ચોરી ગયા છે. અંદાજે બાવીસ ગાળા લાઈનનાં વીજ તારોની ચોરી થવા પામી છે. ચોરો એક બંડલ જેટલો તાર ખેતરમાં જ મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડી. ઈ. ચૌધરીએ ખાત્રી આપી કે વરસાદ રોકાય એટલે ખેતી વિષયક તારોની લાઈન ખેંચવામાં આવશે. ખેડૂત આગેવાનોએ માંગરોળ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ પરેશ કુમાર નાયીને મળતા તેમણે પણ સહકારની ખાત્રી આપી હતી. ખેડૂતોને સહકારની ખાત્રી મળતા આંનદ વિભોર થઈ ગયા હતા. આ તકે ઝાંખરડા ગામનાં આગેવાનો, મરજીના અકબર મલિક, માંગરોળ ખેડૂતના પ્રમુખ ઈદ્રીસ મલેક, ઉત્તમ ભાઈ વસાવા, હારુનભાઈ વગેરે ખેડૂત આગેવાનો હાજર રહી રજુઆત કરી હતી.

વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચના મકતમપુરની યુનિવર્સલ સ્કૂલના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

રાજકોટ : દારૂના નશામાં હેડ કોન્સટેબલ ભાન ભૂલ્યો : રંગરેલીયા મનાવવા સરકારી ગાડીનો કર્યો ઉપયોગ

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો વરીયાળીના વાઘા તથા શણગાર દેવને ધરાતા ભક્તોએ અલૌકીક દર્શન કરી ધન્યતા અનુભવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!