Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, પશુઓ સહિત બાળકો પર હુમલાનાં બનાવો વધ્યા.

Share

ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસ અગાઉ મચ્છી માર્કેટ વિસ્તારમાં એક સાથે ચાર બાળકોને શ્વાને કરડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ વધુ ઘટનાઓ હવે સામે આવી રહી છે તે બાબતે લોકોમાં ચિંતા જગાવી છે.

આમોદનાં નુરાની પાર્ક અને ફૈયાઝ પાર્ક વિસ્તારમાં શ્વાને એક બાળક અને ચાર બકરાઓને કરડતા લોકોમાં ફફડાટની લાગણી છવાઇ છે, સાથે જ ખુંખાર બનેલા રખડતા શ્વાન સામે તંત્ર ત્વરિત એક્શનમાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

મહત્વની બાબત છે કે થોડા દિવસો અગાઉ પણ રખડતા શ્વાનનાં કારણે નબીપુર ગામ ખાતે એક બાળકે જીવ ગુમાવ્યો હતો ત્યારે આ પ્રકારે વધતા જતા શ્વાનનાં હુમલાઓ ચિંતા ઉપજાવી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ – સગીરાને માતાએ ઠપકો આપતાં ઘર છોડી જતાં કોસંબા સ્ટેશન પર જતી રહેલી સગીરાને પોતાના ઘરે લાવી વારંવાર બાળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષ કાળાવાસની સખ્ત સજા તેમજ 3 લાખ નો દંડ ચૂકવવાનો આદેશ કરતી ભરૂચ એડિશનલ ડી. સેશન કોર્ટ

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું, ગૃહમાં થશે રજૂ

ProudOfGujarat

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!