Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વરિષ્ઠ પત્રકાર નઝીર પાંડોર કોરોના સામે જંગ હારી જતા તેમનું અવસાન થયું

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામના વતની નઝીરભાઈ પાંડોર સમગ્ર દક્ષિણ ગુજરાતના દરેક અખબારો માં માંગરોળ અને ઉમરપાડા ના વિસ્તારોના પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હતા તેવો અખબારોમાં પત્રકાર તરીકે છેલ્લાં 35 વર્ષથી નિસ્વાર્થભાવે સેવા આપતા હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ પદે પણ સેવા આપ્યા બાદ તેઓ હાલ માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ના પ્રમુખ પદે સેવા આપી રહ્યા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી તેમને અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોરોના ને માત ન આપી શકતા શનિવારે સાંજે તેમનું 57 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું મોતના સમાચારને પગલે પત્રકાર જગતમાં શોકની લાગણી ફરી વળી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા ૧૦૮ જીવન રક્ષક સેવાના સેવકોની માનવતા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!