Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશને કોરોનાથી બચાવવા પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે આરોગ્ય વિભાગને સુપ્રત કરતા કર્મવીરસિંહ ભામાશા માંગરોલા.

Share

ભરૂચ જિલ્લાના ભામાશા ગણાતા પૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલાએ પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને સુપ્રત કરી છે.આ હોસ્પિટલ આરોગ્ય વિભાગને સોંપવા માટે તેઓએ દેશના વડાપ્રધાનને સંબોધીને એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાઠવ્યો છે.

પૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના માનવીને મળે તેવા હેતુ સાથે ‘સીતારામ સેવા ટ્રસ્ટ’ અમારી સંસ્થા દ્વારા દક્ષિણ ગુજરાત, ભરૂચ, માંગરોલ, માંડવી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 500 બેડની હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં હોસ્પિટલ ને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હોય તો આ હોસ્પિટલ સામાન્ય પ્રયાસોથી ફરી કાર્યરત કરી શકાશે. હાલના સમયમાં દેશની જનતાને આરોગ્યની સવલતો પ્રાપ્ત થતી નથી, સરકાર આ મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ પર જન સહયોગ પણ અત્યંત જરૂરી છે આથી આરોગ્ય વિભાગને અમારી રજૂઆત છે કે આ હોસ્પિટલનો સ્વીકાર કરી અને આદિવાસી વિસ્તારમાં આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરીયાની નિમણુક કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં માટીના ખનનની આડમાં લાખો રૂ.ની રોયલ્ટી ચોરીનું સુવ્યવસ્થિત ઢબે કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

ProudOfGujarat

અખાત્રીજ પહેલાં ભરૂચ જિલ્લામાં ચેતવણી : બાળલગ્ન કરશો તો કડક કાર્યવાહી, ૨ વર્ષની જેલ અને ₹૧ લાખ દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!