Proud of Gujarat
INDIAFeaturedGujarat

પરશુરામ જયંતી : પરશુરામ છે ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, જાણો વધુ.

Share

અક્ષય તૃતીયાના દિવસે જ પરશુરામ જયંતીની ઊજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 14 મે, શુક્રવારના રોજ ઉજવાયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અમર થઈને કળિયુગમાં હનુમાનજી સહિત 8 દેવતા અને મહાપુરૂષોમાં પરશુરામ પણ એક છે. ભગવાન શિવજીએ આશીર્વાદમાં પરશુ એટલે કે ફરસો આપ્યો હતો. આ કારણે તેમનું નામ પરશુરામ પડ્યું છે. તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે. ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે.

ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા પરંતુ તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય હતો. ભગવાન શિવજીના પરમભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ-પાર્વતી પુત્ર ભગવાન ગણેશજીએ તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે થઇને તેમણે પોતાના ફરસાથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે ભગવાન ગણેશ એકદંત કહેવાયાં. તેમના ગુસ્સાના કારણે ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતાં.

Advertisement

Share

Related posts

રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાનો વિરામ…

ProudOfGujarat

ભરૂચ : કયાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સપાટી અને નર્મદા નદીની સપાટી વિશે જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!