Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાને કોરોના મુકત કરવા માટે રાજપીપલા ખાતે શ્રી વૈધનાથ મહાદેવ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું.

Share

રાજપીપલા : હાલ નર્મદા સહીત સમગ્ર ગુજરાત અને દેશભરમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે જેનાથી લોકો ભયભીત બન્યા છે ત્યારે હવે લોકો ઈશ્વરને વિવિધ પ્રાર્થના, યજ્ઞો, ભજન કરી ઈશ્વરને રિઝવી રહ્યા છે કે હવે કોરોનમાંથી સૌને મુક્ત કરો. તાજેતરમા નર્મદા જિલ્લામા પણ કોરોનામુક્તિ માટે લોકો મંદિરોમા ઘરોમાં પ્રાર્થના, યજ્ઞો કરી રહ્યા છે.

જેમાં રાજપીપલા ખાતે શ્રીવૈધનાથ મહાદેવમા
નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અવેતન લઘુરુદ્ર મંડળ રાજપીપળા દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને સમાપ્ત કરવા યજ્ઞાચાયૅશ્રી દિપેશ મહારાજ અને યોગેશભાઈ જોષીના સાનિધ્યમાં સંપુટીક નવચંડી યજ્ઞનું શ્રીવૈધનાથ મહાદેવ મંદિરમા આયોજન કરવામાં આવ્યુ હતું.

યજ્ઞમા આયુર્વેદ ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી જેનાથી વાતાવરણમા વાઇરસ સહીત અન્ય જીવ જંતુઓનો નાશ થાય છે. ત્યારે આવા યજ્ઞો ઠેર ઠેર શરૂ થયા છે અને આવા યજ્ઞો થકી નર્મદા કોરોના મુક્ત બને અને સૌને કોરોનામાથી મુક્તિ અપાવે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજ્યમાં TET-1 અને TET-2 ની પરીક્ષાની તારીખની શિક્ષણ વિભાગે કરી જાહેરાત

ProudOfGujarat

વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ શુક્રવારે ભરૂચ જિલ્લાની મુલાકાતે, ઝઘડિયા જીઆઈડીસી માં યોજશે લોક દરબાર

ProudOfGujarat

ભરૂચના આંબેડકર હોલ ખાતે મહિલા સ્વરોજગાર દિવસ નિમીત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!