Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેહુલિયો મન મૂકીને વરસ્યો : ભરૂચ શહેરમાં વટ સવિત્રીના રોજ વરસાદની તોફાની બેટિંગ : વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

Share

ભરૂચ નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે બંને જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે, આસપાસના અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લામાં મેઘ મહેર ઓછી રહી હોવાનું જણાયું હતું. બે-બે દિવસના અંતરે મેહુલિયો ઝાપટા સ્વરૂપે તો ક્યાક ધોધમાર વરસી રહ્યો છે. આજરોજ વટ સાવિત્રીનુ વ્રત હોવાથી મહિલાઓ વ્રતની પૂજા કરીને આનંદમય દિવસ જાય તે રીતનુ વાતાવરણ સર્જાઇ રહ્યુ છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં ધીમેધીમે ચોમાસાની ઋતુ જામી હોય તેમ વટ સવિત્રીના રોજ શહેરમાં પવનના સુસવાટા અને મેઘ ગાજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

ભરૂચના રતન તળાવનું પાલિકાએ જતન નહિં કરતાં પતન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!