Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા સરદાર નગરખંડ ખાતે 14 ઓગષ્ટની રાત્રે ભવ્ય મુશાયરો યોજાશે.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગોધરા સરદાર નગરખંડ ખાતે નગરપાલિકા ગોધરા, લાયન્સ ક્લબ ગોધરા તથા પરિવેશ સામયિક આયોજિત ભવ્ય મુશાયરો તા.14 ઓગસ્ટના રોજ રાતે 8 કલાકે ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની અને શિવદયાલ શર્માના મુખ્ય મહેમાન પદે યોજાશે. જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર અમદાવાદના નામાંકિત ગઝલકારો કવિઓ આઝાદી લક્ષી રચનાઓનું પઠન કરશે. જેમાં વિનોદ ગાંધી, હરિશ ધોબી, હનીફ રાજા, પિયુષ પરમાર, રાજેશ વણકર, પ્રવીણ ખાંટ, વિનુ બામણીયા, રાકેશ સાગર, કૌશિક પરમાર’ઉસ્તાદ’, શૈલેષ ચૌહાણ, સતીષ ચૌહાણ, બાબુ પટેલ’બીલે’, સંદીપ ભાટિયા, દિલીપસિંહ પુવાર, જીબીશા પરમાર, યુસુફખાન પઠાણ, ફિરોઝખાન પઠાણ, પિયુષ કનેરીયા વગેરે કવિઓ આઝાદીનો ઉત્સવ ગઝલ દ્વારા ઉજવશે. સાહિત્યરસિક મિત્રોએ કાર્યક્રમમાં કોવિડ-19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી મુશાયરો માણવા આયોજકોની અપીલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100 મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું.

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીના કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગનાર ઇસમે ફરિયાદની રીષ રાખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

વડાપ્રધાનના કોંગ્રેસ વિરોધી નિવેદનથી વિવિધ મુદ્દાઓ પર સરકાર પર આક્ષેપની ઝડી વરસાવતા ખેડાના કોંગી પ્રવકતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!