Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં રાખડીનાં સ્ટોલ પર મંદીનો માહોલ : વેચાણકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા.

Share

કોરોના મહામારીના ઘાતકી હુમલા બાદ દેશમાં દરેક વસ્તુ માટે મંદી છે ત્યારે રાખડીના વેચાણમાં પણ મંદી છે. આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર માનવવામાં આવશે ત્યારે ભરૂચ પંથકમાં પણ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.

તે સાથે એક દિવસમાં જેટલું વેચાણ થવું જોઈએ એનું ત્રણ દિવસમાં પણ વેચાણ થઈ રહ્યું નથી. રાખડીઓની વેરાયટીની વાત કરીએ તો પંથકમાં મેડ ઇન ચાઇનાની રાખડીઓ આવતી હતી જે ભારતમાં પ્રતિબંધ બાદ તેનો સ્ટોક પણ બંધ થઈ ગયો છે જેને કારણે વેચાણકર્તાઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. માર્કેટમાં રાખડીના ભાવોમાં 20% નો વધારો થયો છે જેથી લોકો હવે ઓનલાઈન રાખડીઓ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ઓનલાઈન ભાવો ઓછા હોવાને કારણે લોકો આકર્ષાઈ રહ્યા છે.

પહેલા તહેવાર દરમિયાન બજારમાં રોનકનો માહોલ જોવા મળતો હતો, લોકો ખરીદી કરવા માટે નીકળતા હતા તે હવે કોઈપણ અંશે જોવા મળી રહ્યું નથી અને લોકો ઘરે બેઠા જ વસ્તુઓ મંગાવી અને તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ તેનાથી વર્ષોથી વેચાણ કરતા લોકોને માઠી અસર થઈ રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે કમિશ્નરશ્રી અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્રારા અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી સર.જે.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં 2025 મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વોર્ડ નં.5 વિસ્તારમાં રસ્તાનું કામ પૂર્ણ ન થતા રહીશોને હાલાકી : વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!