Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં વાવાઝોડાનાં કારણે કેળાનાં પાકને નુકસાન થતાં ખેડૂતોએ કરી વળતરની માંગ

Share

બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેમાં 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયીથતાં પાક નષ્ટ થવા પામતા ખેડૂતોને કરોડોનું નુકશાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હજી તો વરસાદની મોસમ શરૂ નથી થઈ ત્યાં અચાનક વરસાદ અને વાવાઝોડાએ નર્મદા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ કરી દેતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જામ્યો છે.

નર્મદા જિલ્લામાં અઢી હજાર એકર જમીનમાં કેળાની ખેતી નષ્ટ થઈ ગઈ છે. કેળના પાકને વ્યાપક નુકસાત સમગ્ર જિલ્લામાં કેળાના પાકને આશરે રૂા. 40 થી 50 કરોડનું નુકસાન અંદાજનો અંદાજ છે.

નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકા, તિલકવાડા, કેવડિયા, ગરુડેશ્વરમાં કેળના પાકને નુકશાન થયાંના અહેવાલ છે. આ અંગે નિકોલીના ખેડૂત પ્રકાશભાઈ પટેલે નુકશાની માહિતી આપતાં જણાવ્યું હતું કે નાંદોદમાં સિસોદરા, નિકોલી, નવાપરા, કાંદરોજ, રાજપરા ગામોમાં કેળનો પાક નષ્ટ થઈ જ્વા પામ્યો છે. મોટાભાગના ઠડીયા ધરાશાયી થઈ જતાં ભારે નુકશાન થયાંના અહેવાલ છે
એ ઉપરાંત વડીયા, કરાંઠા, રામપુરા,ગોપાલપુરા, શહેરાવ, ટંકારી, ભદામ, ધમણાચા,નરખડી, પોઇચા સહિતના અનેક ગામોમાં કેળનાં પાકને પણ વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે.

Advertisement

આ ઘટના બાદ ભારતીય કિસાનસંઘ, નર્મદા દ્વારા કેળ તથા શેરડી વિગેરે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરાવી સરકારમાં પ્રતિ એકરે 50 હજારના વળતરની માંગ કરતું એક કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના વાઇરસને લઇને જરૂરી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉભી થાય તે માટે રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મણીનાગેશ્વર મહાદેવનો શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે બંધ રહેશે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!