Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભડકોદ્રા ગામે અજાણ્યા યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.

Share

અંકલેશ્વર શહેરના ભડકોદ્રા ગામ પાસે આવેલા વચનામૃત હોમ્સ સામે કોઈ અજાણ્યો ઇસમ ઝાડ પર લાગેલા વેલાથી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું જે બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલિસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીનો કબ્જે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલ ભડકોદ્રા ગામ પાસે વચનામૃત હોમ્સની સામે ઝાડ પર લાગેલા વેલાથી કોઈ અજાણ્યો ઇસમ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મરણ પામનારનું નામ લલ્લુ મોહન વસાવા જાણ થઇ છે જેની ઉમર વર્ષ આશરે ૫૫ ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ રાજપીપલાના રૂંઢના રહેવાશી હોવાનું માલુમ પડેલ છે અને હાલ ભડકોદ્રા ખાતે ભાડેથી થોડા વર્ષોથી તેમના પરિવાર સાથે રહેતા હતા. કયા કારણોસર યુવાને ગળે ફાંસો ખાધો જે તપાસનો વિષય બન્યો છે. જે અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદામા વરસાદના બીજા રાઉન્ડમાં કેળાના પાકને સૌથી વધુ નુકશાન:ખેડૂતોનો કેળાનો પાક જમીનદોસ્ત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!