Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભડકોદ્રા ગામે અજાણ્યા યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.

Share

અંકલેશ્વર શહેરના ભડકોદ્રા ગામ પાસે આવેલા વચનામૃત હોમ્સ સામે કોઈ અજાણ્યો ઇસમ ઝાડ પર લાગેલા વેલાથી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું જે બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલિસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીનો કબ્જે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલ ભડકોદ્રા ગામ પાસે વચનામૃત હોમ્સની સામે ઝાડ પર લાગેલા વેલાથી કોઈ અજાણ્યો ઇસમ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મરણ પામનારનું નામ લલ્લુ મોહન વસાવા જાણ થઇ છે જેની ઉમર વર્ષ આશરે ૫૫ ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ રાજપીપલાના રૂંઢના રહેવાશી હોવાનું માલુમ પડેલ છે અને હાલ ભડકોદ્રા ખાતે ભાડેથી થોડા વર્ષોથી તેમના પરિવાર સાથે રહેતા હતા. કયા કારણોસર યુવાને ગળે ફાંસો ખાધો જે તપાસનો વિષય બન્યો છે. જે અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

ProudOfGujarat

ગારીયાધારમાં પિતા – પુત્ર પર હુમલો: પુત્ર નું મોત 

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!