Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લગ્નના ચાર મહિના બાદ જ પરિવારના માનસિક ત્રાસથી મહિલાએ આપઘાત કરતા પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Share

ગતરોજ ગડખોલ ખાતે લગ્નના ચાર મહિના બાદ જ પત્નીને પતિ સાથે ન ગમતા અને પતિના માતા પિતા સાથે અણબનાવ થયા પત્નીએ રસોડામાં સીલિંગ ફેન પર ગાલેફાંસો ખાઈ ને જીવન ટુકવ્યું હતું. પરંતુ વિગતવાર માહિતી મળતા પતિ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી .

Advertisement

બનાવ અંગે મળતી માહિતી અનુસાર , પત્ની અન્તિમાંદેવીને તેનો પતિ નીરજ અને તેના જેઠ સુરજ તથા સાસુ મંજુબેન દ્વારા અવારનવાર રૂપિયા લાવવા તેમજ સોનાની ચેઈન લાવવા તથા મોટર સૈકાલની માંગણી કરી અને તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતિ હતી . તેની સાથે ત્રણેય મળીને ઝગડો કરી હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેના પતિ દ્વારા તેના પતિ દ્વારા તેને માર મારવામાં આવતો હતો જેથી છેવટે કંટાળીને તેને આપઘાત કર્યો હતો .

ગત રોજ પતિ નીરજ દ્વારા જાણવામાં આવ્યું હતું કે લગ્નના થોડા મહિના બાદ પત્નીને માતા પિતા સાથે ફાવતું ન હતું જેથી માતા પિતા ફરિયાદીના બહેન બનેવીમાં ઘરે રહેવા જતા રહ્યા હતા. જે બાદ માતા પિતામે સમજાવીને ઘરે પરત લાવ્યા બાદ પત્ની પતિ સાથે અલગ જ વર્તાવ કરી રહી હતી . જેથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નીરજ દુબે (પતિ) , સુરજ દુબે (જેઠ) તેમજ મંજુ દુબે (સાસુ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવ્યો હતો .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

પંચમહાલ : ગોધરા શહેરમાં આવકવેરા વિભાગનાં દરોડા, વેપારીઓ બિલ્ડર લોબીમાં ફફડાટ.

ProudOfGujarat

દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને PM અપાશે લીલીઝંડી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!