Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લગ્નના ચાર મહિના બાદ જ પરિવારના માનસિક ત્રાસથી મહિલાએ આપઘાત કરતા પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Share

ગતરોજ ગડખોલ ખાતે લગ્નના ચાર મહિના બાદ જ પત્નીને પતિ સાથે ન ગમતા અને પતિના માતા પિતા સાથે અણબનાવ થયા પત્નીએ રસોડામાં સીલિંગ ફેન પર ગાલેફાંસો ખાઈ ને જીવન ટુકવ્યું હતું. પરંતુ વિગતવાર માહિતી મળતા પતિ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી .

Advertisement

બનાવ અંગે મળતી માહિતી અનુસાર , પત્ની અન્તિમાંદેવીને તેનો પતિ નીરજ અને તેના જેઠ સુરજ તથા સાસુ મંજુબેન દ્વારા અવારનવાર રૂપિયા લાવવા તેમજ સોનાની ચેઈન લાવવા તથા મોટર સૈકાલની માંગણી કરી અને તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતિ હતી . તેની સાથે ત્રણેય મળીને ઝગડો કરી હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેના પતિ દ્વારા તેના પતિ દ્વારા તેને માર મારવામાં આવતો હતો જેથી છેવટે કંટાળીને તેને આપઘાત કર્યો હતો .

ગત રોજ પતિ નીરજ દ્વારા જાણવામાં આવ્યું હતું કે લગ્નના થોડા મહિના બાદ પત્નીને માતા પિતા સાથે ફાવતું ન હતું જેથી માતા પિતા ફરિયાદીના બહેન બનેવીમાં ઘરે રહેવા જતા રહ્યા હતા. જે બાદ માતા પિતામે સમજાવીને ઘરે પરત લાવ્યા બાદ પત્ની પતિ સાથે અલગ જ વર્તાવ કરી રહી હતી . જેથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નીરજ દુબે (પતિ) , સુરજ દુબે (જેઠ) તેમજ મંજુ દુબે (સાસુ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવ્યો હતો .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

ProudOfGujarat

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

ProudOfGujarat

અમદાવાદ : સરખેજમાં મહિલા પર 3 રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!