Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાલો ભેગા મળીને લકવા મુક્ત દુનિયા બનાવીએ ની નેમ સાથે વિશ્વ પક્ષાઘાત દીવસની ભરૂચમાં કરાઇ ઉજવણી…

Share

આજે ૨૯ ઓકટોબર એટલે વિશ્વ પક્ષાઘાત દીવસ નિમિત્તે ભરૂચના ફિજીઓથેરાપી ડૉ. સ્નેહા બાબરીયા દ્વારા શહેરના ડો.બી આર આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામ આવ્યો હતો, જેમાં ઘણા અપંગ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર ચારમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન લકવો થઇ શકે છે, તેમાંના ૧ તમે ના બનશો જે અંગેની માહિતી આ કાર્યક્રમ થકી લોકોને આપવામાં આવી હતી.

ભરૂચમાં વર્ષોથી કાર્યરત એવા ડો.સ્નેહા બાબરીયા દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે આજે આ કાર્યક્રમ થકી ફિજીઓથેરાપીની જરૂર કેમ પડે તે અંગેની માહિતી આપી હતી, લકવા મુક્ત દુનિયાની નેમ સાથે દર્દીઓને સ્વસ્થ કરવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ કાર્યક્રમની લોકોએ પ્રસંશા કરી ડો. સ્નેહા બાબરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

વાગરાના વજાપરા ગામે ગેરકાયદે 4517.64 મેટ્રીક ટન માટી ચોરી કેસમાં 4 સામે ફરિયાદ

ProudOfGujarat

BIGG BOSS 18: અભિનેત્રી પ્રત્યાંચા નરલે શું બિગ બોસ 18ના સભ્ય ચમ દરંગને સમર્થન આપ્યું હતું,

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો વડે હુમલો : ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!