Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગ્રામ પંચાયતમાં ફરી એકવાર સરપંચ વિરુદ્ધ ૧૨ સભ્યોમાંથી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા વાલિયા ગ્રામમાં ભૂકંપ સર્જાયો

Share

છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધનભાઈ વસાવા વિરુધ તેઓના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ પોતાની મનમાની અને આપખુદ નિર્ણયો કરતા હોવાને પગલે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે બાદ ટૂંક સમયમાં ફરી સબ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લીધી હતી. ત્યારે હાલ ફરી આ સભ્યોએ સરપંચ ગોરધન વસાવા સામે ફરી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. આજ રોજ વાલિયા ગ્રામ પંચાયતના ૧૨ સભ્યો પૈકી ૯ સભ્યોએ વાલિયા તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલને વાલિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેને પગલે ફરી એકવાર વાલિયા ગામમાં ભૂકંપ સર્જાયો છે. આ ગ્રામ પંચાયતમાં વારંવાર આવી પરિસ્થિતિને પગલે ગ્રામજનોના વિકાસલક્ષી કામો ટલ્લે ચઢી ગયા છે. અને ગ્રામજનોમાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગ્રામ પંચાયત થકી ગામનો સર્વાંગી વિકાસ થશે કે પછી પાંચ વર્ષે આમ જ પૂર્ણ થઇ જશે તેવી ગ્રામ લોકોમાં ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

Advertisement


Share

Related posts

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

નેત્રંગ સ્થિત કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે બાળકીઓને ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

ProudOfGujarat
error: Content is protected !!