Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેરાકૂઈ ગામે વિજ પોલ પર વીજ વાયરો વચ્ચે સ્પારર્કિંગ થતા ખેતરમાં રૂ.૪૦ હજારનો ઘાસચારો સળગી ગયો.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે વીજ પોલ પર વીજ વાયરો વચ્ચે સ્પારકિગ થતા ખેતરમાં રૂ 40,000 નો ઘાસચારો સળગી ગયો હતો. વેરાકુઈ ગામની વિધવા મહિલા શોભનાબેન રવીયાભાઈ ગામીતની માલિકીની અઢી વીઘા જમીન અને ગુમનીબેન હનીયાભાઈ ગામીતની માલિકીની ચાર વીઘા જમીન વેરાકુઈ ગામની સીમમાં આવેલ છે. ઉપરોક્ત જમીન પર ડી જી વી સી એલ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવેલ છે ત્યાંથી અન્ય ખેતરોમાં વીજ લાઈન લઇ મારફત વીજ પુરવઠો જવામાં આવી છે. શોભનાબેનના ખેતરમાં ઉભા કરેલ વીજ પોલ ઉપર પવનને કારણે વીજ વાયરો વચ્ચે સ્પારર્કિંગ થતાં તણખા ઝરવાથી અઢી વીઘા જમીનમાં ઊગેલો ઘાસચારો સળગી ગયો હતો. તેમજ બાજુમાં ખેતર ધરાવતા ગુમનીબેન ગામીતની ચાર વિઘા જમીનમા ઊગેલો ઘાસચારો સળગી જતા બંને મહિલા ખેડૂત પશુપાલકને અંદાજિત ૪૦ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. નુકશાનનો ભોગ બનેલી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વીજ કંપનીની બેદરકારીને કારણે અમને નુકસાન થયું છે. પ્રતિવર્ષ આ પ્રમાણે નાનું મોટું નુકસાન કાયમી ધોરણે થાય છે જેથી વીજ કંપની દ્વારા અમને ઘાસચારાની નુકશાની પેટેનું વળતર ચૂકવવામાં આવે તેમજ અમારા ખેતરમાંથી અન્ય જગ્યાએ વિજ પોલ ખસેડી લેવામાં આવે તેવી અમારી માંગ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ થી જંબુસર જવાના માર્ગ પર બે ટ્રંકો વચ્ચે અકસ્માત. રૂરલ પોલીસ ઘટના સ્થળે…

ProudOfGujarat

ડિફેન્સ સેક્રેટરીએ સુરત એન.સી.સી કેડેટસની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!